ખેરગામ તાલુકાના ચીમનપાડા પ્રાથમિક શાળાનાં આચાર્યશ્રીને નવસારી જિલ્લા પંચાયત દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનો પારિતોષિક એનાયત કરવામાં આવ્યો.

  



જિલ્લા શિક્ષણાધિકારી કચેરી,નવસારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, નવસારીના સયુંકત ઉપક્રમે  આયોજિત ૫ મી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ખેરગામ તાલુકાના ચીમનપાડા પ્રાથમિક શાળાનાં આચાર્યશ્રી ધર્મેશભાઈ દેવાણીને તેમની  શાળામાં ઉપલબ્ધ શૈક્ષણિક સુવિધાઓ, ભૌતિક સુવિધાઓ, ઈતર પ્રવૃત્તિઓ, બાહ્ય પરીક્ષામાં વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ટ દેખાવ, ગામલોકોની શાળામાં લોકભાગીદારી, જેવી બાબતો ધ્યાને લઇ  જિલ્લા શિક્ષણાધિકારી કચેરી,નવસારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, નવસારીના સયુંકત ઉપક્રમે  આયોજિત શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ કાર્યક્રમમાં ગણદેવી વિધાનસભાના માનનીય ધારાસભ્યશ્રી અને ગુજરાત સરકાર આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે  શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. 
     SB KHERGAM OFFICIAL BLOGGER દ્વારા શ્રી ધર્મેશભાઈ દેવાણીને " હાર્દિક શુભકામના " પાઠવે છે.

Post a Comment

Previous Post Next Post