નિયામકશ્રી ડૉ. પી. એ. જલુ સાહેબનો શુભ સંદેશ

 વ્હાલા વિદ્યા વાહક મિત્રો,

આપ સૌના ઉમદા પ્રયાસોને લીધે આપણો ગ્રીષ્મોત્સવ ખૂબ સફળ રહ્યો છે.લગભગ અંતિમ દિવસો હોવા છતાં સરેરાશ ૪૦-૪૫ હજાર રિસ્પોન્સ મળી રહ્યાં છે.

 આટલા લાંબા સમય સુધી બાળકોનો ઉત્સાહ જળવાઈ રહ્યો છે. હજુ પણ બાકીના દિવસોમાં બાળકોની ભાગીદારી વધે અને સ્પર્ધાઓમાં આપના તાલુકાની વધુમાં વધુ એન્ટ્રી આવે એ માટે પ્રયત્ન કરીશું.આપણાં views પણ આજે ૨૫ લાખ થઈ જશે.

ગ્રીષ્મોત્સવ અને GIET ની સમગ્ર સફળતાનું શ્રેય આપ સૌને અર્પણ કરું છું. તા. ૦૬-૦૬-૨૦૨૨ ના કાર્યક્રમનો મૂળ હેતુ આપ સૌના સન્માન અને ઋણ સ્વીકાર કરવાનો છે. 

હું અંતરથી ઈચ્છું છું કે આપ બધાં જ આ પ્રસંગે ઉપસ્થિત રહો. કાર્યક્રમની વિગતો અંગે આપને તા.૩૧-૦૫-૨૦૨૨ ને મંગળવાર ના દિવસે teams meeting કરી વધુ વિગતો આપીશું.

GIET પરિવારના સૌ વિદ્યા વાહક મિત્રોને પરિવારના આ પ્રસંગમાં ભાવભર્યું આમંત્રણ.

DR.P.A. JALU

🙏🙏

Post a Comment

Previous Post Next Post